શાહે કોંગ્રેસ અધ્યક્ષ પર કર્યો કટાક્ષ, કાયદો ન વાંચ્યો હોય તો ઈટલીમાં ટ્રાન્સલેટ કરીને મોકલું

frame શાહે કોંગ્રેસ અધ્યક્ષ પર કર્યો કટાક્ષ, કાયદો ન વાંચ્યો હોય તો ઈટલીમાં ટ્રાન્સલેટ કરીને મોકલું

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ શુક્રવારે નાગરિકતા સંશોધન એક્ટના પક્ષમાં રાજસ્થાનના જોધપુરમાં જનસભા સંબોધી હતી. આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે, જેટલી પર ગેરસમજ ફેલાવવી હોય તે ફેલાવી દો પરંતુ બીજેપી આ મામલે એક ઈંચ પણ પીછેહટ નહીં કરે.

ગૃહમંત્રી અમિત શાહે સીએએને લઈને કહ્યું હતું કે,  કોંગ્રેસ, મમતા દીદી, એસપી, બીએસપી, કેજરીવાલ એન્ડ કંપની આ કાયદાનો વિરોધ કરી રહી છે. હું એ તમામને પડકાર ફેંકુ છું કે તે તેઓ સાબીત કરે કે આ કાયદાથી કોઈ પણ અલ્પસંખ્યકનું નુકસાન થશે. અમિત શાહે કહ્યું હતું કે, જો રાહુલ બાબાએ ખરેખર જો કાયદો વાચ્યો હોય તો મારી સામે આવી જાય અને ચર્ચા કરે. શાહે જોરદાર ટોણોં મારતા કહ્યું હતું કે. જો રાહુલ બાબબાને કાયદો સમજમાં ના આવતો હોય તો ઈટલીયન ભાષામાં તેનું ટ્રાન્સલેટ કરીને મોકલવા તૈયાર છું.

અમિત શાહે કહ્યું કે, સમગ્ર વિપક્ષી પાર્ટી એક થઈ જશે તો પણ બીજેપી સીએએ મામલે એક ઈંચ પણ પાછી નહીં ખસે. જેટલો ભ્રમ ફેલાવો હોય એ ફેલાવી દો પરંતુ અમે કાયદામાં પીછે હટ નહીં કરીએ. જનસભામાં અમિત શાહે લોકોને એક નંબર આપ્યો છે અને કહ્યું છે કે, તમે આ નંબર પર મિસકોલ કરીને સીએએમાં સમર્થન નોંધાવી શકો છો. અમિત શાહ દ્વારા જે નંબર આપવામાં આવ્યો છે એ આ છે- 8866288662.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જોધપુરમાં કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ દેશમાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં જનજાગરણ અભિયાનનું આયોજન કર્યું છે. જેમને વોટબેન્કનું રાજકારણ કરવું છે તે જ લોકો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ સીએએના વિરોધમાં ખોટી માન્યતા ફેલાવી છે. તેઓ દેશના લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તે જ કારણથી અમે સીએએ વિશે જનજાગરણ કરી રહ્યા છીએ.

Find Out More:

Related Articles:

Unable to Load More